🙏અમારી કેન્દ્ર શાળાની વેબ પર આપનું સ્વાગત છે.🙏 અમારી કેન્દ્રની શાળાઓમાં થતી પ્રવૃત્તિઓને અમે પ્રદર્શિત કરી રહ્યા છીએ.

ઉતાર ફળિયા પ્રાથમિક શાળાનું વનભોજન ઇકો પોઇન્ટ સોલધરા ખાતે યોજવામાં આવ્યું.

   


ઉતાર ફળિયા પ્રાથમિક શાળામાં વનભોજન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઇકો પોઇન્ટ સોલધરા ખાતે રાખવામાં આવ્યું હતું. મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. અને મધ ઉતારતી વખતે રાખવામાં આવતી સાવધાનીનો ડેમો બતાવવામાં આવ્યો હતો. બાળકોએ વિવિધ રમતો દ્વારા મજા માણી હતી. વનભોજન કાર્યક્રમમાં ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, સી.આર.સી. શ્રીમતી ભાવિકાબેન પટેલ, ગામનાં સરપંચશ્રી ચેતનભાઈ પટેલ, ગામનાં આગેવાન શ્રી દિનેશભાઈ પટેલ, વાડ મુખ્ય શાળાના શિક્ષિકા બહેનો શ્રીમતિ મનીષાબેન પટેલ તથા શ્રીમતી જાગૃતિબેન પટેલ, શાળાનો સ્ટાફ અને બાળકોએ ભાગ લીધો હતો.
 












Post a Comment

0 Comments